Posts

જાણો આજે તમારી કેટલી છે ઉંમર??

Image
ઉંમર કેલક્યુલેટર એક ઓનલાઇન ટૂલ છે. જેની મદદથી તમે તમારી જન્મતારીખથી લઈ વર્તમાન તારીખ સુધીની ઉંમર જાણી શકો છે. જે બે તારીખો વચ્ચે સમયનું અંતર બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેના દ્વારા જે પરિણામ આવે છે તે અલગ-અલગ ટાઈમ મુજબ વર્ષ, મહિના અને દિવસના રૂપમાં સામે આવે છે. કઈ રીતે વાપરવું ?? નીચેના બોક્સમાં તમારી જન્મ તારીખ સિલેક્ટ કરો અને કૅલ્ક્યુલેટ એજ બટન પર ક્લિક કરો. CALCULATE YOUR AGE ↓↓  ENTER DATE OF BIRTH  ↓↓ Calculate age નીચે કોમેન્ટ કરો તમને આ ટૂલ કેવું લાગ્યું ?

ભીમ શા માટે સળગાવી દેવા માંગતા હતા યુધિષ્ઠિરના બંને હાથ?

Image
યુધિષ્ઠિરના આ કામ કરવાને કારણે ભીમ સળગાવવા માંગતો હતો તેમના બંને હાથ. મહાભારતના મુખ્ય પાત્ર ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ પોતાના મોટા ભાઈ યુધિષ્ઠિરનો ઘણો આદર કરતા હતા. યુધિષ્ઠિર જે આજ્ઞા કરતા તેમના ભાઈઓ તેને કોઈ પણ રીતે પૂરી કરતા હતા. મહાભારતમાં સભા પર્વમાં એક પ્રસંગ એવો પણ આવે છે, જયારે ભીમ યુધિષ્ઠિર ઉપર ઘણા ગુસ્સે થઇ જાય છે, અને સહદેવને અગ્નિ લાવવાનું કહે છે, જેથી તે યુધિષ્ઠિરના બંને હાથ સળગાવી શકે. આવો જાણીએ કયો છે એ પ્રસંગ? જયારે યુધિષ્ઠિર જુગારમાં દ્રૌપદીને હારી જાય છે, તો દ્રૌપદીને ભરી સભામાં બોલાવીને તેનું અપમાન કરવામાં આવે છે. તે જોઈને ભીમને ઘણો ગુસ્સો આવે છે. ત્યારે ભીમ યુધિષ્ઠિરને કહે છે કે – તમે જુગારમાં જે ધન હાર્યા છો તેનાથી હું ગુસ્સે નથી, પરંતુ દ્રૌપદીને તમે દાવ ઉપર લગાવી તે ઘણું જ ખોટું છે. ભીમ કહે છે કે – દ્રૌપદી અપમાન કરવા યોગ્ય નથી, પરંતુ તમારા કારણે આ દુષ્ટ કૌરવ તેને દુઃખ આપી રહ્યા છે અને ભરી સભામાં તેનું અપમાન કરી રહ્યા છે. ભીમ યુધિષ્ઠિરને કહે છે કે – દ્રૌપદીની આ દશાનું કારણ તમે છો. એટલા માટે હું તમારા બંને હાથ સળગાવી દઈશ. ભીમ સહદેવને અગ્નિ લા...

પાંડવોના જન્મની સ્ટોરી, જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે

Image
જાણો કેવી રીતે થયો હતો પાંચ પાંડવોનો જન્મ, દેવતાઓને બોલાવ્યા અને… ધ્રુતરાષ્ટ જન્મથી જ આંધળા હતા એટલે તેની જગ્યાએ પાંડુને રાજા બનાવવામાં આવ્યા, તેથી ધ્રુતરાષ્ટને હંમેશા નેત્રહીનતા ઉપર ગુસ્સો આવતો અને પાંડુ સાથે દ્વેષભાવના થવા લગતી. પાંડુએ સંપૂર્ણ ભારતવર્ષને જીતીને કુરુ રાજ્યની સરહદોને યવનોના દેશ સુધી વિસ્તાર કરી દીધો. એક વખત રાજા પાંડુ તેની બંને પત્નીઓ – કુંતી અને માદ્રી સાથે આખેટ માટે વનમાં ગયા. ત્યાં તેને એક મૃગનું મૈથુનરત જોડું નજરે ચડ્યું. પાંડુએ તત્કાલિક તેના બાણથી તે મૃગને ઘાયલ કરી દીધું. મરતા મરતા મૃગરૂપ ધરી નિરોધ ઋષિએ પાંડુને શ્રાપ આપ્યો, રાજન, તારા જેવો ક્રૂર પુરુષ આ સંસારમાં કોઈ હોઈ શકે નહિ. તે મને મૈથુન સમયે બાણ માર્યું છે એટલે જયારે પણ તું મૈથુનરત હોઈશ તારું મૃત્યુ થઇ જશે. આ શ્રાપથી પાંડુ ઘણા દુઃખી થયા અને તેમની પત્નીને કહ્યું, હે દેવીઓ હવે હું મારી વાસનાઓ ત્યાગ કરીને આ વનમાં જ રહીશ. તમે લોકો હસ્તિનાપુર પાછા જતા રહો, તેના વચનો સાંભળીને બંને રાણીઓએ દુઃખી થઈને કહ્યું, નાથ અમે તમારા વગર એક ક્ષણ પણ જીવિત નહિ શકીએ. તમે અમને પણ વનમાં તમારી સાથે રાખવાની કૃપા કરો. પાંડુએ તેમની વિનંત...

જાણો કેમ માતા સીતા લક્ષ્મણને ગળી ગયા હતા?

Image
એવું તે કયું કારણ હતું કે, માતા સીતાએ લક્ષ્મણજીને ગળી લીધા હતા. એક સમયની વાત છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ રાવણનો વધ કરીને ભગવતી સીતાની સાથે અવધપુરી પાછા આવી ગયા. અયોધ્યા નગરીને એક દુલ્હનની જેમ સજાવામાં આવી હતી અને ઉત્સવ મનાવવામાં આવ્યો. ઉત્સવ ઉજવવામાં આવતો હતો ત્યારે સીતાજીને વિચાર આવ્યો કે વનવાસ જતા પહેલા માં સરયુને વચન આપ્યું હતું કે જો ફરીથી પોતાના પતિ અને દિયર સાથે સકુશળ અવધપુરી પાછા આવશે તો તમારી વિધિવત રૂપથી પૂજા અર્ચના કરશે. આ વિચારીને સીતાજી લક્ષ્મણને સાથે લઈને રાત્રે સરયૂ નદીના કિનારે ગયા. સરયૂની પૂજા કરવા માટે લક્ષ્મણને જળ લાવવા માટે કહ્યું. લક્ષ્મણજી જળ લાવવા માટે ઘડો લઈને સરયૂ નદીમાં ઉતરી ગયા. જળ ભરી જ રહ્યા હતા કે ત્યારે સરયૂના જળથી એક અઘાસુર નામનો રાક્ષસ નીકળ્યો, જે લક્ષ્મણજીને ગળવા માંગતો હતો. પરંતુ ત્યારે ભગવતી સીતાએ આ દ્રશ્ય જોયું અને લક્ષ્મણને બચાવવા માટે માતા સીતાએ અઘાસુર ગળે તે પહેલા પોતે જ લક્ષ્મણને ગળી ગયા. લક્ષ્મણને ગળી ગયા પછી સીતાજીનું આખું શરીર જળ બનીને પીગળી ગયું. (આ દ્રશ્ય હનુમાનજી જોઈ રહ્યા હતા, જે અદ્રશ્ય રૂપથી સીતાજીની સાથે જ સરયૂ કિનારે આવેલ હત...